Thursday, November 6, 2008

શ્રી આદિલ મન્સૂરી ૧૯૩૬-૨૦૦૮

મીત્રો,

એક બહુ જ દુ:ખદ સમાચાર આપવાનાં છે. ગુજરાતી સાહિત્યજગત અને ખાસ કરીને અમેરિકામાં વસતા સાહિત્યપ્રેમીઓને માથે આભ તૂટી પડ્યું છે.


શ્રી આદિલ મન્સૂરી ૧૯૩૬-૨૦૦૮

આજે, ૬ નવેમ્બર ૨૦૦૮, વહેલી સવારે શ્રી આદિલ મન્સૂરીએ આ ફાની દુનિયા છોડી છે. છેલ્લા અઠવાડીઆ દરમ્યાન હૃદયની માંદગી રહી અને આજે હૉસ્પિટલમાં સર્જિકલ સારવારની તૈયારી થતી હતી ત્યાં જ એમને પરવરદિગારનું ઇજન આવ્યું અને એમણે આપણી વચ્ચેથી સદા માટે વિદાય લીધી.


આવતી કાલે, ૭ નવેમ્બરે, સવારે ૯થી બપોરે ૧૨ સુધી એમના અંતિમ દર્શન કરવાનું સ્થળ:

Dar Ul Islah, 320 Fabry Terrace, Teaneck, NJ 07666.


આટલી મોટી ખોટને સહન કરવાની સબૂરી પરવરદિગાર એમનાં પત્ની બિસ્મિલબેન અને કુટુંબને આપે.



રામ ગઢવી